કેન્દ્ર સરકાર હાઇવે મુસાફરીને લગતા નીતિનિયમોમાં મોટા ફેરફારો કરવા જઈ રહી છે. આ ફેરફારોના ભાગરૂપે 15 જુલાઈ, 2025થી ટુ-વ્હિલર ચાલકોને પણ હાઈવે પર ટોલ-ફ્રીનો લાભ આપવાનું બંધ કરવામાં આવશે એવી ચર્ચાઓ થઈ રહી હતી. જો કે, આ મુદ્દે સરકારે કોઈ સત્તાવાર જાહેરાત કરી નહોતી પરંતુ સમાચાર વાયરલ થતાં કેન્દ્રીય ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર નીતિન ગડકરીએ આ બાબતે ખુલાસો કર્યો છે.
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે, કેટલાક મીડિયા હાઉસ દ્વારા ટુ વ્હિલર વ્હિકલ ઉપર ટોલ ટેક્સ લગાવવાના ખોટા સમાચારો ફેલાવાઈ રહ્યા છે. પરંતુ એવો કોઈ નિર્ણય રજૂ કરાયો નથી. ટુ વ્હિલર ઉપર સંપૂર્ણ રીતે છૂટ જારી રહેશે. ખોટી સત્યતા જાણ્યા વિના ખોટા સમાચારો ફેલાવવા પત્રકારિતાનું લક્ષણ નથી. હું આની નિંદા કરું છું.

