વૈશ્વિક બજારોમાં નબળા વલણ વચ્ચે બુધવારે (9 એપ્રિલ) ભારતીય શેરબજાર ફરી એકવાર ઘટાડા સાથે બંધ થયું હતું. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા વેપારી દેશો પર ટેરિફ લાદવાની સમયમર્યાદા નજીક આવતાં બજારમાં અસ્થિરતા જોવા મળી. જોકે, આરબીઆઇ દ્વારા રેપો રેટમાં 0.25%નો ઘટાડો કરવામાં આવ્યા બાદ બજારમાં મર્યાદિત રેન્જમાં ટ્રેડિંગ જોવા મળ્યું. જ્યારે ટ્રમ્પ દ્વારા ફાર્મા સેક્ટર પર ટેરિફની જાહેરાતથી ફાર્માસ્યુટિકલ કંપનીઓના શેરો પર પણ નકારાત્મક અસર પડી અને નિફ્ટી ફાર્મા ઈન્ડેક્સ 2% ઘટ્યો હતો.

