વિસાવદરમાં ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણી જીતેલા ગોપાલ ઇટાલિયાએ કેન્દ્રીય મંત્રી અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ પર પ્રહાર કર્યા છે. ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિ બાદ આમ આદમી પાર્ટીમાંથી 5 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા બાદ ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે, સીઆર પાટીલ વિસાવદર ચૂંટણીમાં હારની ખીજ ઉતારી રહ્યાં છે, તાકાત હોય તો ઉમેશ મકવાણાનું રાજીનામું અપાવે. ગુજરાતમાં ધારાસભ્યો તોડવા-ખરીદવાની દુકાન માત્ર સીઆર પાટીલ જ ચલાવે છે.

