બદલાયેલું વાતાવરણ ખેતીના વ્યવસાય માટે દિવસે જોખમ ઊભું કરી રહ્યું છે. જેને કારણે સીધી અસર ખેતપેદાશ પર થાય છે. હાલમાં ઉનાળામાં કેરીની સીઝન જોરમાં હોય છે. પરંતુ બદલાયેલા વાતાવરણની અસરથી આંબાપાક પણ બચી શક્યો નથી. ત્યારે ગ્લોબલ વોર્મિંગ સામે ઝીંક ઝીલી શકે અને કોઈપણ પ્રતિકૂળ પરિસ્થિતિમાં ગુણવત્તા યુક્ત ઉત્પાદન આપી શકે. એવી કેરીનું જાતને ખેડૂત અપનાવે એવા ઉમદા હેતુથી નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા સેન્ટ્રલ એક્ઝામિનેશન હોલ બહાર કેરી હરીફાઈ અને પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રદર્શનમાં કુલ 125 પ્રકારની કેરીનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત સહિત નવસારી કૃષિ યુનિવર્સિટીમાં પોતીકી 70 કેરી અને વિદેશી બ્રાન્ડની 15 કેરીઓનું પ્રદર્શન યોજવામાં આવ્યું છે. આ પ્રદર્શનને કૃષિ યુનિવર્સિટીના વોઇસ ચાન્સેલર ઝીણાભાઈ પટેલના હસ્તે ખુલ્લું મુકવામાં આવ્યું છે

