Vadodara News: જામનગરના વતની અને સુરતની ગોત્રી મેડિકલ કોલેજમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા તબીબી વિદ્યાર્થી કે જેનું ગઈકાલે અંકોડિયા (નર્મદા)ની કેનાલમાં ડૂબી જવાથી કરૂણ મૃત્યુ નીપજયું છે. ચાર મિત્રો નર્મદા કેનાલ પાસે ફરવા ગયા હતા, જે દરમિયાન જામનગર અને સુરતના બે તબીબી વિદ્યાર્થીઓના ડૂબી જવાથી મૃત્યુ નીપજ્યા હતા. આ બનાવની જાણ થતાં જામનગરમાં મૃતકના પરિવારમાં શોકનું મોજુ છવાયું છે.

