રાજકારણમાં ક્યારે શું થાય તે નક્કી હોતું નથી. અલગ-અલગ વિચારધારાના રાજકીય લોકો તેમની વિચારધારા છોડી અન્ય વિચારધારા સાથે જોડાતા હોવાના દાખલાઓ અનેક છે. પરંતુ વિસાવદરની ચૂંટણીમાં બે અલગ-અલગ વિચારધારાના જ મુખ્ય હરીફ પક્ષ વચ્ચે અંદરખાને ગઠબંધન થઈ ગયાનું અને બંને એક થઈ ત્રીજા પક્ષને હરાવવા અંદરખાને ચોગઠા ગોઠવતા હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે. એક પક્ષનો કાર્યક્રમ હોય અને તેનો તમામ ખર્ચ મુખ્ય હરીફ પક્ષ આપે છે. આ નીતિ વિસાવદરના મતદારોમાં પણ હવે ખુલ્લી પડી ગઈ છે.

