અમદાવાદમાં 12 જૂને એર ઇન્ડિયાની અમદાવાદથી લંડન જતી AI171 ક્રેશ થતા 241 લોકોના મોત થયા હતા. આ દુર્ઘટનામાં માત્ર એક જ વ્યક્તિ વિશ્વાસ કુમાર જીવિત બચ્યો હતો. વિશ્વાસ કુમાર અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈને સ્વસ્થ થયા છે. તેઓ પોતાના વતન દીવ પહોંચ્યા છે. તેમની સાથે લંડન પ્રવાસમાં એર ઈન્ડિયાના પ્લેનમાં તેમની સાથે હતા. તેઓનો આબાદ બચાવ થયો પરંતુ તેમના ભાઈ અજય રમેશનું મૃત્યું થયું હતું. તેમના અંતિમ વિધિમાં તેઓ પોતાના વતન પહોંચતા ભાવુક દૃશ્યો સર્જાયા હતા.

