અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત વી એસ હોસ્પિટલમાં થયેલા ક્લિનિકલ કૌભાંડ મામલે હવે હોસ્પિટલના ટ્રસ્ટીઓ દ્વારા લખવામાં પત્ર આવ્યો છે. તત્કાલીન વી એસ સુપ્રિટેન્ડન્સ સામે પગલાં ભરવા માંગ કરી છે. તત્કાલીન સુપ્રિટેન્ડન્ટ મનીષ પટેલ સામે એફઆઇઆર કરવાની સાથે ક્રિમિનલ કેસ કરવાની માંગ કરાઈ છે. ભૂતકાળમાં પણ મનીષ પટેલ દ્વારા રસીદ કાંડ કરવામાં આવ્યું હતું. મનીષ પટેલ ઉપરાંત વર્તમાન સુપ્રિટેન્ડન્ટ સામે પણ કાર્યવાહી કરવા માંગ કરી છે. વર્તમાન સુપ્રિટેન્ડન્ટ દ્વારા જરૂરી તકેદારી ન રાખાઈ હોવાની વાત કરાઈ છે.

