Pahalgam Terror Attack: પહેલગામ આતંકી હુમલા બાદ ખાલિસ્તાની આતંકી ગુરપતવંત સિંહ પન્નૂએ પાકિસ્તાનનું સમર્થન કર્યું છે. પન્નૂએ કહ્યું કે તે ભારતીય સેનાને પાકિસ્તાન પર હુમલો કરવા નહીં દે. પન્નૂએ એવો પણ દાવો કર્યો કે ભારતમાં પાકિસ્તાન સામે લડવાની હિમ્મત નથી. આ નિવેદન તે સમયે આવ્યું છે જ્યારે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલા બાદથી પાકિસ્તાનને શંકા છે કે ભારત તેના પર હુમલો કરી શકે છે.

