Pahalgam Attack: પહેલગામ આતંકવાદી હુમલા બાદ સિંધુ જળ સંધિને સ્થગિત કરવા અને રાજદ્વારી સંબંધોને ડાઉનગ્રેડ કરવાના ભારતના કડક પગલાં બાદ પાકિસ્તાનના PM શેહબાઝ શરીફે ગુરુવારે અગ્રણી મંત્રીઓ અને ત્રણેય સશસ્ત્ર દળોના વડાઓ સાથે બેઠક યોજી હતી. પાકિસ્તાનની રાષ્ટ્રીય સુરક્ષા સમિતિની બેઠકમાં લેવાયેલા નિર્ણયો મુજબ પાકિસ્તાને વાઘા બોર્ડર બંધ કરી દીધી. પાકિસ્તાને શિમલા સમજૂતિથી હટી જવાની ધમકી આપી છે.

