ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તેમની વડા પ્રધાનપદની ઉમેદવારી અને તેમની રાજકીય મહત્વાકાંક્ષાઓ અંગે પ્રતિક્રિયા આપી છે. તેમનો જવાબ એવા સમયે આવ્યો છે જ્યારે છેલ્લા બે દિવસથી પીએમ મોદીની નિવૃત્તિ અંગે ચર્ચાઓ ચાલી રહી હતી. યોગી આદિત્યનાથે કહ્યું કે તેઓ રાજકારણને પોતાનું પૂર્ણ-સમયનું કામ માનતા નથી.

