ગુજરાતના પાવન યાત્રાધામ અંબાજી મંદિર લાખો શ્રદ્ધાળુઓની આસ્થાનું એક મોટું કેન્દ્ર છે. જ્યાં દરરોજ હજારો માઈ ભક્તો માના દર્શનનો લ્હાવો લેવા જતાં હોય છે. વિશેષ વાર અને તહેવારે આ સંખ્યા લાખોએ પહોંચે છે. તેવામાં કાળઝાળ ગરમીમાં મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તો માટે ઊભી કરવામાં આવેલી સુવિધા માત્ર વાતોમાં જોવા મળી છે. શ્રદ્ધાળુઓને બીજી સુવિધા તો છોડો પરંતુ પીવાના ઠંડા પાણીના પણ ફાંફાં જોવા મળ્યા છે.

