
જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડમાં ચાલી રહેલા એન્કાઉન્ટરમાં(Encounter) સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. આ એન્કાઉન્ટરમાં અત્યાર સુધીમાં કુલ ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા(Terrorists killed) છે. આ એન્કાઉન્ટર જિલ્લાના છત્રુ જંગલ વિસ્તારમાં ચાલી રહ્યું છે. એક ટોચના પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આ કાર્યવાહીમાં અત્યાર સુધીમાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ વિસ્તારમાં હજુ પણ કામગીરી ચાલુ છે.
કિશ્તવાડ જિલ્લાના છત્રુ જંગલોમાં શંકાસ્પદ ગતિવિધિઓને પગલે સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું ત્યારે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ગોળીબાર થયો.
આતંકવાદીઓ સામે સુરક્ષા દળોનું મોટું ઓપરેશન
માહિતી અનુસાર, કિશ્તવાડ વિસ્તારમાં સુરક્ષા દળોનું આ એક મોટું ઓપરેશન છે. ૧૦ એપ્રિલના રોજ, આતંકવાદીઓએ સુરક્ષા દળોનો સામનો કર્યો. એન્કાઉન્ટર દરમિયાન એક આતંકવાદીને ઠાર મારવામાં આવ્યો હતો. બીજા દિવસે 11 એપ્રિલની સવારે તેમનો મૃતદેહ મળી આવ્યો.
આ વિસ્તારમાં વધુ આતંકવાદીઓ છુપાયેલા હોવાની માહિતી મળતાં સર્ચ ઓપરેશન ચાલુ રહ્યું. દરમિયાન, 11 એપ્રિલના રોજ બપોરે 1 થી 2 વાગ્યાની વચ્ચે, બીજી એક એન્કાઉન્ટર થઈ જેમાં વધુ બે આતંકવાદીઓ માર્યા ગયા. આ કામગીરીમાં ભારતીય સેના અને જમ્મુ અને કાશ્મીર પોલીસના SOG સામેલ હતા. અત્યાર સુધીમાં કુલ ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા છે અને ઓપરેશન હજુ પણ ચાલુ છે.
સેના તરફથી સત્તાવાર નિવેદન
ભારતીય સેનાએ એક સત્તાવાર નિવેદન જારી કરીને જણાવ્યું છે કે ખરાબ અને પ્રતિકૂળ હવામાન છતાં કિશ્તવાડના ચતરુમાં ચાલી રહેલા ઓપરેશનમાં વધુ બે પાકિસ્તાની આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા છે. મોટી માત્રામાં દારૂગોળો સાથે એક AK અને M4 રાઈફલ જપ્ત કરવામાં આવી હતી.
સેનાના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ વિસ્તારમાં ઓછામાં ઓછો એક વધુ આતંકવાદી છુપાયેલો હોવાની શંકા છે અને બંને બાજુથી ગોળીબાર ચાલી રહ્યો છે. આ સમગ્ર કામગીરી પર્વતોમાં થઈ રહી છે જેમાં ભારતીય સેનાની ડેલ્ટા ફોર્સ, ભારતીય સેનાના પેરા કમાન્ડો અને જમ્મુ અને કાશ્મીર પોલીસના SOG સામેલ છે.