જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડમાં ચાલી રહેલા એન્કાઉન્ટરમાં(Encounter) સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. આ એન્કાઉન્ટરમાં અત્યાર સુધીમાં કુલ ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા(Terrorists killed) છે. આ એન્કાઉન્ટર જિલ્લાના છત્રુ જંગલ વિસ્તારમાં ચાલી રહ્યું છે. એક ટોચના પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આ કાર્યવાહીમાં અત્યાર સુધીમાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ વિસ્તારમાં હજુ પણ કામગીરી ચાલુ છે.

