
કોંગ્રેસના અધિવેશનના એક દિવસ પહેલા મંગળવારે (8 એપ્રિલ, 2025) અમદાવાદ આવેલા 79 વર્ષીય કોંગ્રેસ નેતા પી. ચિદમ્બરમની તબિયત લથડી છે. અમદાવાદ સ્થિત સાબરમતી આશ્રમમાં ગરમીને કારણે પી ચિદમ્બરમ બેભાન થઈ ગયા હતા. ત્યારબાદ તાત્કાલિક તેમને ઝાયડસ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
ટ્વિટ કરીને અપડેત આપતા કહ્યું મારી તબિયત સારી છે
તેમણે ટ્વિટ કરીને અપડેટ આપતા કહ્યું કે, ગરમીના કારણે થોડી ડીહાઈડ્રેશનની અસર થઈ હતી.જોકે તમામ રિપોર્ટ નોર્મલ આવ્યા છે,અને હું બિલકુલ સ્વસ્થ છું. મારી તબિયત સારી છે.
ગરમીના કારણે ચક્કર આવ્યા હતા
જ્યાં હાલ તેમની તબિયત સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે. હોસ્પિટલ તરફથી જણાવાયું છે કે, 'તેમને શારીરિક નબળાઈ અને ગરમીના કારણે ચક્કર આવ્યા હતા, હાલ તેઓ સંપૂર્ણ સ્વસ્થ છે.'