Home / Gujarat / Banaskantha : Pahalgam attack People protested in many districts of Gujarat

Pahalgam attack: ગુજરાતમાં પડ્યા પડઘા, અનેક જિલ્લાઓમાં લોકોએ દર્શાવ્યો વિરોધ

Pahalgam attack: ગુજરાતમાં પડ્યા પડઘા, અનેક જિલ્લાઓમાં લોકોએ દર્શાવ્યો વિરોધ

Pahalgam terrorist attack ને પગલે ગુજરાતભરતમાં લોકોનો આક્રોશ છે. કાશ્મીરના પ્રવાસે ગયેલા નિર્દોષ 28 સહેલાણીઓને આતંકવાદીઓ ગોળી મારી દીધી હતી. આ કાયરતા પૂર્ણ હુમલાને વખોડી આંતકીઓને મોતને ઘાટ ઉતારવા અને મૃતકોને સન્માનભેર શ્રધ્ધાંજલી આપવાના કાર્યક્રમો રાજ્યભરમાં બે દિવસથી યોજાઈ રહ્યા છે. ત્યારે રાજકોટ, બરોડા, દાહોદ, હિંમતનગર સાબરકાંઠા સહિતના વિસ્તારોમાં ભારે વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. સાબરકાંઠામાં સ્વૈચ્છિક બંધ પાળવામાં આવ્યો છે. મોડાસા ખાતે ગુરૂવારે વીએચપી દ્વારા નગરના ચાર રસ્તે પૂતળા દહન કાર્યક્રમ યોજી ઉગ્ર વિરોધ દર્શાવાયો હતો. જ્યારે આજે અરવલ્લી જિલ્લાના હિંમતનગર, તલોદ, ખેડબ્રહ્મા, મોડાસા-ભિલોડામાં વિવિધ સંસ્થાઓ દ્વારા બંધનું એલાન અપાતાં પોલીસ તંત્ર એલર્ટ કરાયું હતું. 
 
આતકીઓ સામે સમગ્ર દેશમા રોષનો જવાળામુખી ફાટી નીકડ્યો છે ત્યારે તેના પડઘા વડોદરાના વાઘોડિયામા પણ પડ્યા છે. સમસ્ત હિન્દુઓ સ્વયંભુ એકત્ર થઈને વાઘોડિયા વાઘનાથ મહાદેવ મંદિરથી જય અંબે ચાર રસ્તા સુધી રામધુન સાથે મોબાઈલ ટોર્ચ વડે શાંતીપુર્ણ રીતે રેલી યોજી હતી. રેલીમા મોટી સંખ્યામા મહિલાઓ અને યુવાનો જોડાયા હતા.આતંકવાદી હુમલામા માર્યા ગયેલા મૃતકોને શ્રદ્ધાંજલિ આપતા હનુમાન ચાલીસાનું સામુહિક ગાન કરી બે મિનિટનું મૌન પાળ્યું હતું. આંતકવાદના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું,

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon