ગોંડલમાં રવિવારના રોજ ગણેશ ગોંડલ અને અલ્પેશ કથિરિયાના સમર્થકો વચ્ચે ભારે ઘમાસાણ સર્જાયુ હતું. જે બાદ આજે ગોંડલની ઘટનાને લઈ પાટીદાર અગ્રણી પરસોતમ પીપળીયાએ નિવેદન આપ્યુ છે. જેમાં તેમણે ગોંડલની ઘટનાને આંતરિક લડાઈ ગણાવતા કહ્યુ કે ગોડલમાં એક જ પરિવારનું વર્ચસ્વ છે તે વર્ચસ્વ તોડવાની આ લડાઈ છે.

