અમદાવાદના ચંડોળા તળાવમાં ગેરકાયદે દબાણો પર બુલડોઝરની કાર્યવાહી હજુ શાંત પણ નથી થઈ ત્યાં બાપુનગરમાં તંત્રએ મોટાપાયે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરી સપાટો બોલાવ્યો છે. ગુરૂવારે (29 મે) સવારથી અકબરનગર વિસ્તારમાં આશરે 400થી વધુ જેટલાં કાચા-પાકા મકાન-દુકાનો પર બુલડોઝર ફેરવી દેવાયા હતા.

