
Ahmedabad Plane Crash News: અમદાવાદ વિમાન દુર્ઘટનાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. મળતી વિગતો પ્રમાણે, રાજ્ય અને કેન્દ્રની કુલ 17 ટીમો તપાસમાં જોડાઈ છે. દુર્ઘટનાને લઈને 50થી વધુ મુદ્દાની તપાસ હાથ ધરાઈ છે. દિલ્હી એરપોર્ટથી અમદાવાદ એરપોર્ટ સુધીના તમામ ગ્રાઉન્ડ સ્ટાફની પૂછપરછ હાથ ધરવામાં આવી છે. સમગ્ર કેસમાં NIAની કામગીરી મહત્વની રહેશે તેમજ બ્રિટિશ હાઈ કમિશનની ટીમનો પણ સમાવેશ થશે.
મુખ્યત્વે ગુજરાત પોલીસ, ગુજરાત એટીએસ, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ, NSG, NIA, સહિતની એજન્સીઓએ ઘટના સ્થળની મુલાકાત લઈને ઝીણવટ પૂર્વકની તપાસનો દોર શરૂ કરી દીધો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઘટના સ્થળની મુલાકાત લીધા બાદ NIAની ટીમ દ્વારા ઘટના સ્થળની મુલાકાત લઈ તપાસની શરૂઆત કરી છે. તપાસ કમિટીએ એસઆરપી કેમ્પમાં પોતાનું હેડક્વોટર બનાવ્યું છે.
પ્લેન ક્રેશ દુર્ઘટનામાં શુક્રવારના દિવસે 17 ટીમો તપાસમાં જોતરાઈ છે.
- અમદાવાદ ફાયર
- બ્રિટિશ હાઈ કમિશન
- NIA
- MOH
- DGCI
- સ્ટેટ FSL
- NFSU
- ARFF
- CISF
- BSF
- ARMY
- સ્ટેટ IB
- સ્ટેટ વિજિલન્સ
- સેન્ટ્રલ IB
- PMO એક્સપર્ટની એક ટીમ
- CMO એક્સપર્ટની એક ટીમ
- AIB (એરક્રાફ્ટ ઇન્વેસ્ટીગેશન બ્યુરો)