Ahmedabad Plane Crash News: અમદાવાદમાં બપોરે બનેલી એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનામાં ક્રૂ મેમ્બર્સ સહિત 241 લોકોના મોત નીપજ્યાના સમાચાર છે. જ્યારે એક વ્યક્તિ જીવિત હોવાની પુષ્ટિ થઈ છે. એવામાં વિજયભાઈ રુપાણીની સોસાયટીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. સ્થાનિકો દ્વારા મહામૃત્યુંજય મંત્રનો જપ કરવામાં આવ્યો હતો.