Indus River Treaty: પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP)ના નેતા અને પૂર્વ વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારીએ ભારતને ફરી એકવાર ધમકી આપી છે. સિંધુ નદીનું પાણી બંધ કરવા સામે યુદ્ધની ચેતવણી આપતા તેમણે કહ્યું કે, 'વડાપ્રધાન મોદીએ સિંધુ જળ સંધિને સ્થગિત કરી દીધી છે, અમે તેમના નિર્ણયનો અસ્વીકાર કરીએ છીએ. તેમને સમજવું જોઈએ કે, પાકિસ્તાન એક શાંતિપૂર્ણ દેશ છે અને ઇસ્લામ એક શાંતિપૂર્ણ ધર્મ છે. જો કોઈ અમારી સિંધુ નદી પર હુમલો કરે છે તો આ એક એક્ટ ઑફ વૉર (યુદ્ધની કાર્યવાહી) માનવામાં આવશે. આ સિંધુ નદી ફક્ત નદી નથી, તે ભારત અને પાકિસ્તાન બંનેની સભ્યતાનો ભાગ છે.'

