સમગ્ર દેશમાં આજે હનુમાન જયંતિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. તેવામાં રાજયના સુપ્રસિદ્ધ બાજરંગબલીના મંદિરોમાં હરિભક્તોનું ઘોડાપૂર ઉભરાયુ હતું. ઠેર ઠેર રુદ્ર મહાયજ્ઞ, બટુક ભોજન, ભંડાર અને ડાયરાનું આયોજન કરી ભક્તિભાવથી હનુમાનજીનો પ્રાગટ્યદિવસ મનાવવામાં આવ્યો હતો. જેમાં રાજ્યભરના હનુમાનજી મંદિરોમાં ભક્તોએ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

