સુપ્રીમ કોર્ટે તાજેતરમાં કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટના વર્તમાન અને ભવિષ્યના તમામ જજે સંપત્તિની વિગતો વેબસાઈટ પર જાહેર કરવાની રહેશે. દિલ્હી હાઈકોર્ટથી અલ્લાહાબાદ હાઈકોર્ટ ટ્રાન્સફર કરાયેલા જજ યશવંત વર્માના ઘરેથી આગની ઘટના સમયે કરોડો રૂપિયા રોકડા મળવાની ઘટના બાદ સુપ્રીમ કોર્ટ દ્વારા આ નિર્ણય લેવાયો હતો. જોકે હજુ સુધી હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ફક્ત 12 ટકા જજે સંપત્તિની વિગતો જાહેર કરી છે.

