રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ડાયરેક્ટર અનંત અંબાણીની જામનગરથી દ્વારકાધીશ મંદિરની પદયાત્રા આજે પૂર્ણ થઈ હતી, તેઓ આજે દ્વારકાધીશ મંદિરે પહોંચ્યા છે. અનંત અંબાણીની માતા અને રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક-ચેરપર્સન નીતા અંબાણી અને તેમની પત્ની રાધિકા મર્ચન્ટ આજે તેમની સાથે જોડાયા હતા.

