અમદાવાદમાં ફરી એક વખત વ્યાજખોરોનો આતંક સામે આવ્યો છે. જમીન દલાલી કરતા વેપારીએ વ્યાજે રૂપિયા લીધા હતા. વ્યાજખોરોની ધમકીને પગલે વેપારીએ પોતાનું ઘર પણ ખાલી કરી દીધુ હતું. મિત્રના ઘરે વેપારી પહોંચતા જ આરોપીઓએ તેમના પર હુમલો કર્યો હતો. આ ઘટનાને લઇન સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. આ ફરિયાદના આધારે સરખેજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

