Home / India : Allegations of 171 fake encounter killings in Assam

આસામમાં 171 ફેક એન્કાઉન્ટર કિલિંગનો આરોપ, સુપ્રીમ કોર્ટે આપ્યા તપાસના આદેશ

આસામમાં 171 ફેક એન્કાઉન્ટર કિલિંગનો આરોપ, સુપ્રીમ કોર્ટે આપ્યા તપાસના આદેશ

સુપ્રીમ કોર્ટે માનવ અધિકાર પંચને આસામમાં થયેલા 171 નકલી એન્કાઉન્ટર હત્યાઓની નિષ્પક્ષ તપાસ કરવાનો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે આ આદેશ એડવોકેટ આરિફ યાસીન જાવદ્દરની અરજી પર આપ્યો છે. આરિફ યાસીને ગૌહાટી હાઈકોર્ટના તે નિર્ણયને પડકાર્યો છે જેમાં કોર્ટે આ કેસની સ્વતંત્ર તપાસની માંગને ફગાવી દીધી હતી.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ન્યાયાધીશ સૂર્યકાંત અને ન્યાયાધીશ એન. કોટિશ્વર સિંહની બેન્ચે આ કેસની સુનાવણી કરી. તેમણે કહ્યું કે પોલીસ પર લગાવવામાં આવેલ આરોપ ખૂબ જ ગંભીર છે. કોર્ટે કહ્યું કે જાહેર અધિકારીઓ દ્વારા પીડિતો પર વધુ પડતા અને ગેરકાયદેસર બળનો ઉપયોગ માન્ય ગણી શકાય નહીં.

Related News

Icon