ગુજરાતમાં મંગળવારના રોજ ડીસાની ફટાકડાની ફેક્ટરીમાં ભયાનક બ્લાસ્ટની ઘટના સર્જાઈ હતી. આ દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારને હચમચાવી દીધો હતો. આ દુર્ઘટનામાં 21 શ્રમિકોના મોત થયા હતા. આ દુર્ઘટનામાં શ્રમિકોના મૃતદેહો ક્ષત-વિક્ષત થયા હતા. પ્રાથમિક અહેવાલ અનુસાર મોટાભાગના મૃતક શ્રમિકો મધ્ય પ્રદેશના રહેવાસી હતા.

