પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશ મંત્રાલય પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કેન્દ્ર સરકારને સવાલ કર્યો છે કે, શું ભારતની વિદેશ નીતિનો ઉદ્દેશ માત્ર પ્રચાર કરવાનો છે? વડાપ્રધાન એવા દેશોની મુલાકાત કરી રહ્યા છે, જેનું નામ પણ લોકો જાણતા નથી. માનને કટાક્ષ કરતાં કહ્યું કે, વડાપ્રધાન બે દેશો વચ્ચેનું યુદ્ધ રોકી શકે છે, તો પછી પંજાબ અને હરિયાણા વચ્ચેના મુદ્દાઓને કેમ ઉકેલતા નથી?

