છત્તીસગઢ-તેલંગાણા બોર્ડરે બીજાપુર જિલ્લાના કરેગુટ્ટાના જંગલમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં 5 નક્સલીઓ માર્યા ગયા છે. સુરક્ષા દળોએ ત્રણ દિવસ પહેલા સૌથી મોટા નક્સલ વિરોધી ઓપરેશનનો આરંભ કર્યો હતો. હજુ સર્ચ ઓપરેશન અને એન્કાઉન્ટર ચાલુ છે. નક્સલવાદીઓ સામેના આ ઓપરેશનમાં અનેક સુરક્ષા એકમો સામેલ છે, જેનો ઉદ્દેશ્ય સરહદી જંગલ વિસ્તારોમાં નક્સલવાદીઓની હાજરી અને માળખાગત સુવિધાઓને ખતમ કરવાનો છે. મળતી માહિતી મુજબ નક્સલવાદીઓ ચારે બાજુથી ઘેરાઈ ચૂક્યા છે.

