Home / Business : Read how the conjunction of Saturn and Rahu will affect the market and the 12 zodiac signs

શનિ અને રાહુની યુતિએ માર્કેટ અને 12 રાશિઓ પર શું અસર થશે, વાંચો

શનિ અને રાહુની યુતિએ માર્કેટ અને 12 રાશિઓ પર શું અસર થશે, વાંચો

હેમિલ લાઠિયા. જયોતિષશાસ્ત્રી

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

જ્યોતિષશાસ્ત્રમાં શનિ + રાહુની યુતિને અશુભ શ્રાપિત યોગ કહેવાય છે, જે ઉતાર-ચઢાવ વધુ આપે છે. શેરબજારમાં ઉતાર-ચઢાવ દરમિયાન થોડીક તેજી દર્શાવે છે. સોના-ચાંદીમાં પણ વધ-ઘટ દરમિયાન ભાવ તેજી તરફી કહી શકાય. એગ્રો કોમોડિટીમાં એરંડા, તલ, સરસવ, મરચાં, મરી, ધાણા જેવી ચીજમાં ભાવ થોડો વધે તેવું બની શકે છે.

શનિ + રાહુની યુતિ : વર્ષ-૨૦૨૫
--------------------------

શનિ + રાહુ ની મીન રાશિ યુતિ તા.૨૯/૩/૨૫ થી તા.૧૮/૫/૨૫ દરમિયાન થાય છે આ પહેલા મીન રાશિમાં જાન્યુ ૧૯૬૮થી માર્ચ ૧૯૬૯ થયેલી હતી. આ ઉપરાંત શનિ રાહુની યુતિ. ડિસે.૨૦૧૨થી જુલાઈ-૨૦૧૪ તુલા રાશિમાં 
. ડિસે.૧૯૯૦થી માર્ચ-૧૯૯૧ મકર રાશિમાં
. નવે.૧૯૭૮થી ઓક્ટો.૧૯૭૯ સિંહ રાશિમાં
. નવે.૧૯૫૫થી માર્ચ-૧૯૫૭ વૃશ્ચિક રાશિમાં 

અને હવે પછી આ યુતિ
એપ્રિલ-૨૦૩૬થી સપ્ટે.૨૦૩૬ કર્ક રાશિમાં તેમજ  ફેબ્રુ.૨૦૪૭થી ઓગ.૨૦૪૮ ધન રાશિમાં થશે.


 રાશિ અનુસાર ફળકથન : 
 
મેષ : કોઈની સાથે વિવાદ ન થાય તેનું ધ્યાન રાખવું, વાહન ધીમે ચલાવવું

વૃષભ : મિત્રો પરિચિતો સાથે ગેર સમજ ન થાય તેનું ધ્યાન રાખવું, ધાર્યા કરતાં ઓછું ફળ મળે તેવું લાગ્યા કરે

મિથુન : કામકાજમાં ધીરજ રાખવી ઉતાવળ ન કરવી, કોઈ પરિવર્તન આવે તેવું પણ બનવા જોગ છે 

કર્ક : મુસાફરી માં તકેદારી રાખવી, મહેનત કર્યા બાદ ફળ મળે પણ સંતોષ પૂરતો ન મળે તેવું બની શકે

સિંહ : ખટપટ થી દુર રહેવું, કોઈની સાથે વિવાદ ન થાય તેનું ધ્યાન રાખવું

કન્યા : જાહેરજીવનમાં શાંતિ જાળવવી ભાગીદારી માં કે જીવનસાથી સાથે દલીલ ન કરવી

તુલા : આરોગ્ય અંગે કાળજી રાખવી, વાતચીતમાં ગેરસમજ ન થાય તેનું ધ્યાન રાખવું, 

વૃશ્ચિક : ઉતાવળમાં કોઈ કાર્ય ન કરવું, વિદ્યાભ્યાસ માં ચોકસાઈ રાખવી

ધન : મન થોડું અશાંત રહે, નાની નાની બાબતમાં ઉશ્કેરાટ ન આવે તેનું ધ્યાન રાખવું

મકર : અતિવિશ્વાસ માં ઉતાવલિયો નિર્ણય ન લેવાય, આસપાસમાં કોઈ ખટપટ ન કરે તેનું ધ્યાન રાખવું.

કુંભ : વાણી પર અંકુશ રાખવો કટાક્ષ માં ન બોલવું, ઇતર પ્રવૃત્તિમાં સમય ન વેડફવો.

મીન : અતિ વિશ્વાસમાં ન રહેવું, કોઈની ચઢવણી ન થાય તેનું ધ્યાન રાખવું.કુંડળીમાં અન્ય ગ્રહયોગ દશા તેમજ ગોચર ના ગ્રહો પણ ફળકથન ને અસર કરતા હોય છે. 

 

Related News

Icon