Home / Sports : 'It was the first time when..', see what Dhoni said after being eliminated from the IPL

'પહેલીવાર હતું જ્યારે.. ', IPLથી બહાર થયા બાદ જુઓ શું બોલ્યો ધોની

'પહેલીવાર હતું જ્યારે.. ', IPLથી બહાર થયા બાદ જુઓ શું બોલ્યો ધોની

IPL 2025: ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) IPL 2025 માંથી બહાર થનારી પ્રથમ ટીમ બની ગઈ છે. IPL 2024માં પણ CSK લીગ રાઉન્ડમાં જ બહાર થઈ ગયું હતું. મેગા ઓક્શનમાં CSKને નવી ટીમ બનાવવાની તક મળી હતી, તેમ છતાં પરિણામ બદલાયું નહીં. ત્યારે તમને જણાવીએ કે 30મી એપ્રિલની રાત્રે પંજાબ કિંગ્સ સામે હાર્યા બાદ એમ.એસ ધોનીએ શું કહ્યું હતું.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

એમ.એસ ધોની શું બોલ્યા? 
મેચ પછી જ્યારે એમ.એસ ધોની બ્રોડકાસ્ટર સાથે વાત કરવા આવ્યો, ત્યારે તેનો ચહેરો ઉદાસ હતો. હારની નિરાશાએ તેને ઘેરી લીધો. ચેન્નાઈ માટે પાંચ આઈપીએલ ટ્રોફી જીતનાર ધોનીને જ્યારે હારનું કારણ પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે, 'આ પહેલી વાર હતું જ્યારે અમે પૂરતા રન બનાવ્યા, પરંતુ ટક્કરનો સ્કોર આપવા માટે તે થોડું ટૂંકું હતું. બેટર માટે તે પડકારજનક હતું, પરંતુ અમને થોડી વધુ જરૂર હતી. કરણ અને બ્રેવિસ વચ્ચેની ભાગીદારી ઉત્તમ હતી. મને લાગે છે કે અમારે વધુ કેચ પકડવાની જરૂર હતી. કમનસીબે અમે અત્યાર સુધી જ્યારે પણ તેને તક આપવાનો પ્રયાસ કર્યો છે, ત્યારે તે ધીમી વિકેટ રહી છે, પરંતુ આજની વિકેટ આ સિઝનમાં અમારા હોમ ગ્રાઉન્ડ પર શ્રેષ્ઠ હતી. બ્રેવિસમાં સારી તાકાત છે. તે એક શાનદાર ફિલ્ડર છે. આવનારી સિઝનમાં તે આપણા માટે એક મહાન હથિયાર બની શકે છે.'

ખેલાડીઓ સુપર ફ્લોપ નીકળ્યા
ઉલ્લેખનીય છે કે, IPL 2025માં ચેન્નાઈ સુપર કિંગ્સની સફરનો દુઃખદ અંત આવ્યો છે. પંજાબ કિંગ્સ સામે હાર્યા બાદ, ટીમ સતત બીજી વખત પ્લેઓફ માટે ક્વોલિફાય થવાથી ચૂકી ગઈ. પાંચ વખતની ચેમ્પિયન ટીમ હરાજીથી જ હારતી રહી. પહેલી હરાજીમાં સારા ખેલાડીઓ ખરીદવામાં આવ્યા ન હતા. મેં જે ખરીદ્યા તે પણ સુપર ફ્લોપ નીકળ્યા.

 

Related News

Icon