ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકામાં ભારે વરસાદને કારણે નોઘણવદર ગામથી મોતીશ્રી ગામ તરફ જવાનો કોઝવે તૂટી ગયો છે. આ ઘટનાને પગલે મોતીશ્રી, સુરનગર, બહાદુરપુર, વાળુકડ, પાંચ પીપળા સહિતના ગામોનો પાલીતાણા શહેર સાથેનો સંપર્ક તૂટી ગયો છે, જેના કારણે આ ગામો સંપર્કવિહોણા થયા છે. રજાવળ નદી બે કાંઠે વહેતા નોઘણવદર ગામ પાસેનો કોઝવે તૂટી જતાં આ સમસ્યા સર્જાઈ છે.

