ચૈત્ર મહિનાના પ્રારંભથી લઈને આજે નવરાત્રિની આઠમ છે. જેથી માતાજીના ઉપાસકો મોટી સંખ્યામાં દર્શને મંદિરમાં ઉમટી રહ્યાં છે. સુરતના અંબિકાનિકેતન મંદિરમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યાં છે મંદિરમાં માતાજીનો અદભૂત શૃંગાર કરવામાં આવ્યો છે. જેના દર્શન કરીને ભાવિકો આજે ધન્યતાની લાગણી અનુભવી રહ્યાં છે. મંદિરમાં પણ ભાવિકોની સુવિધાને લઈને વિશેષ આયોજન કરવામાં આવ્યાં છે.

