અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં સતત ત્રીજા દિવસે ગેરકાયદેસર દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ચંડોળા તળાવ પાસે આવેલા મિલ્લતનગરમાં પણ ગેરકાયદેસર અતિક્રમણ હટાવવામાં આવ્યું હતું .નાના ચંડોળા વિસ્તારની પથ્થરવાલા તરીકે ઓળખાતા વ્યક્તિનું ગેરકાયદેસર બાંધકામ તોડવામાં આવ્યું. ગની પથ્થરવાલાનો પુત્ર હુસૈન પથ્થરવાલા જગ્યાનું સંચાલન કરે છે.ગની પથ્થરવાલાએ 10 જેટલી નાની ઓરડીઓ બનાવી લેબર કોલોની બનાવી હતી.

