Rajkot news: ઉનાળો પૂર્ણ થઈને ચોમાસું બેસવાની તૈયારીઓ થઈ રહી છે ત્યારે રાજકોટ શહેરમાં રોગચાળો બેફામ બન્યો છે. રાજકોટ શહેરમાં ઝાડા-ઊલ્ટી, કમળો અને ટાઈફોઈડના કેસો સતત વધી રહ્યા છે. પાણી અને બરફને લીધે શહેરમાં કમળો અને ટાઈફોઈડના કેસનું પ્રમાણ વધી રહ્યું છે. જેના લીધે વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગમાં પણ દોડધામ વધી રહી છે. રાજકોટના સાગરનગરમાં રહેતી 9 વર્ષની બાળકીનું ઝેરી કમળાના લીધે મોત થયું હતું. ઉપરાંત બીજા એક વિસ્તાર એવા વીરડા વાજડીની બાળકીનું ઝાડાથી મોત થયું હતું. જેના લીધે તંત્રએ પાણી અને બરફના ઉત્પાદન કરતા વેપારીઓને ત્યાં તવાઈ બોલાવી હતી.

