અમદાવાદના રખિયાલ મુક્તિધામ ખાતે કોંગ્રેસ કાર્યકરો અને સ્થાનિક લોકોએ કોન્ટ્રાક્ટર અને કમિશનરની નનામી બનાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું. સ્મશાનગૃહમાં અગ્નિસંસ્કાર માટે વધુ પૈસા લેવાતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. અગ્નિસંસ્કારના વધુ પૈસા લેવાને કારણે મધ્યમ વર્ગના લોકો ખુલ્લી લૂંટનો ભોગ બની રહ્યા છે.

