Ahmedabad Plane Crash: અમદાવાદ સહિત સમગ્ર રાજ્ય માટે ગત 12મી જૂન ગુરુવારની બપોરે 1.38 વાગ્યાનો સમય ગોઝારો સાબિત થયો હતો. કારણ કે, અમદાવાદ એરપોર્ટથી ઉપડીને લંડન જતી એર ઈન્ડિયાના વિમાને ટેક ઑફ કર્યાના માંડ ગણતરીના સેકંડોમાં બી.જે.મેડિકલ કૉલેજના હૉસ્ટેલ પાસે ધરાશાયી થયું હતું. આ હતભાગી વિમાનમાં કુલ 242 મુસાફરો સવાર હતા. જેમાં ગુજરાતના પૂર્વ સીએમ વિજયભાઈ રૂપાણી પણ હતા. જેઓનું પણ આ વિમાન અકસ્માતમાં નિધન થયું હતું. હવે વિમાન અકસ્માતને એક સપ્તાહ જેટલો સમય પસાર થઈ ચુક્યો છે. ત્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા અત્યાર સુધી કુલ ૨૪૭ મૃતકોના ડીએનએ સેમ્પલ મેચ થયા, જેમાંથી ૨૩૨ મૃતદેહ પરિવારજનોને સોંપાયા છે.

