ગુજરાત રાજ્ય પોલીસ વિભાગ દ્વારા જેલ જાપ્તામાંથી નાસ્તા ફરતા આરોપીની શોધખોળને લઈને એક સામૂહિક મુહિમ શરૂ કરવામાં આવી છે. જેને લઇને નવસારી એલસીબીને એક મોટી સફળતા હાથ લાગી છે. જેમાં 2010ના વર્ષમાં અમદાવાદ શહેરના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બંધ મકાનમાંથી 100 તોલા સોનાના દાગીના તથા રોકડ રૂપિયા મળી કુલ રુ. 15,40,000ની મતાની ઘરફોડ ચોરીના ગુનામાં આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. સાબરમતી મધ્યસ્થ જેલનો કેદી આરોપી સુરેન્દ્ર ઉર્ફે ચોટી રણવીર સિંહ ચૌહાણ છેલ્લા 14 વર્ષથી પોલીસ જાપ્તામાંથી ફરાર થયો હતો તેને શોધી કાઢી એલસીબીએ આશરે 73 જેટલા ગુનાઓનો ઉકેલ મેળવ્યો છે.

