અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ હવે મૃતદેહોના ડીએનએ ટેસ્ટ કરીને પરિવારજનોને મૃતદેહો સોંપાઈ રહ્યા છે. ત્યારે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની ડેડબોડીની ઓળખ થઈ છે. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની ડેડબોડીના ડીએનએ મેચ થયાનું ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ખાત્રી કરી છે. હવે તેમના મૃતદેહને રાજકોટ લઈ જવાની કાર્યવાહી કરવામાં આવશે. રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ સિવિલ હોસ્પિટલ પહોંચી ગયા છે. પૂર્વ સીએમ વિજય રૂપાણીના પૂરા રાજકિય સન્માન સાથે રાજકોટમાં અંતિમ વિધિ કરવામાં આવશે.

