Mehsana news: સરકારી અનાજ ગરીબો સુધી પહોંચાડવાની વાતોના લીરેલીરા ઉડાડતી ઘટના કડી અને વિજાપુરમાં બની છે. મોદી સરકારે દેશના 80 ટકા ગરીબોને સરકારી અનાજ આપવામાં આવે છે. પરંતુ આ સરકારી અનાજનું વેચાણ કરતી સંસ્થાઓમાંથી બારોબાર વેપલો થઈ જાય છે. કડી અને વિજાપુરમાંથી 25 લાખ રૂપિયા કરતાં વધુનું સરકારી અનાજ સગેવગે કરી બારોબાર વેચી મારે તે પહેલા સીઝ કરાયું છે.

