ભારત અને પાકિસ્તાન વચ્ચે સરહદે તણાવ વધતા સરહદી રાજ્ય ગુજરાત પણ પાકિસ્તાનના ટાર્ગેટ પર છે. કચ્છમાં સિઝ ફાયર થયા બાદ પણ ડ્રોન ઉડતા જોવા મળ્યા હતા.કચ્છમાં પાકિસ્તાન દ્વારા ડ્રોન હુમલા પણ કરવામાં આવ્યા હતા. જોકે, ભારતીય સુરક્ષા એજન્સીઓએ આ હુમલાને નિષ્ફળ બનાવ્યા હતા. આ પરિસ્થિતીને પગલે ગુજરાતના પ્રવાસન ક્ષેત્રને પણ અસર પહોંચી છે. ઉનાળા વેકેશનમાં અન્ય રાજ્યમાં આવતાં પ્રવાસીઓએ હાલ ગુજરાત આવવાનું માંડી વાળ્યુ છે. આ ઉપરાંત છેલ્લી ઘડીએ કોર્પોરેટ કોન્ફરન્સ પણ કેન્સલ થઇ હોવાનું જાણવા મળ્યુ છે. યુદ્ધની સ્થિતિને લીધે કચ્છ,સૌરાષ્ટ્ર સહિતના ગુજરાતમાં પ્રવાસન સ્થળોએ ટુરિસ્ટોની ભીડ ઓછી થઇ છે.

