ફિલ્મ 'હેરાફેરી 3' છેલ્લા કેટલાક સમયથી વિવાદોમાં ઘેરાયેલી છે. પરેશ રાવલે ફિલ્મ કામ કરવાની ના પાડતાં ચાહકોમાં નિરાશા જોવા મળી રહી છે. 25 વર્ષ પહેલા આ ફિલ્મનો પહેલો ભાગ રિલીઝ કરવામાં આવ્યો હતો. જે પછી ફિલ્મના પાત્રો લોકોના દિલમાં વસી ગયા છે. હવે જ્યારે ચાહકોને ખબર પડી કે ફિલ્મનો ત્રીજો ભાગ આવવાનો છે, તો ચાહકોમાં ખૂબ ઉત્સાહ જોવા મળ્યો હતો. પરંતુ હવે પરેશ રાવલની જગ્યાએ પંકજ ત્રિપાઠીને મુકવાના સમાચાર સામે આવ્યા છે. ત્યારે હાલમાં જ એક્ટરે પણ ચાહકોની ઈચ્છા પર ખુલીને વાત કરી છે.

