બનાસકાંઠાના ડીસામાં ફટાકડાંની ફેક્ટરીમાં આગ લાગતા 21 શ્રમિકોએ જીવ ગુમાવ્યો છે. હવે ગુજરાત સરકાર દ્વારા હાલ 18 શ્રમિકોના મૃતદેહોને પરિવારજનોને સોંપવામાં આવ્યા છે. એવામાં હવે આ મામલે મોટા ખુલાસા થઈ રહ્યા છે. જેને લઈને કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી ડીસા પહોંચ્યા હતા. સમગ્ર ઘટના મુદ્દે આકરી પ્રતિક્રિયા આપી હતી.

