Porbandar news: રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી અસામાજિત તત્વોએ ગેરકાયેદસર કબ્જો જમાવેલી જમીન પરનું દબાણ હટાવવાની કામગીરી પૂરજોશમાં છે, ત્યારે પોરબંદરના માધવપુરમાં દબાણ હટાવ કામગીરી એકવાર ફરી શરૂ કરવામાં આવી છે. જેના પગલે પોરબંદર-સોમનાથ હાઈવે પર દબાણ હટાવવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. આ ઉપરાંત માધવપુરના મોટા જાપા વિસ્તારમાં ગ્રામ પંચાયત વિભાગે 36 જેટલી દુકાનો, કેબિનો હટાવવાની કામગીરી કરી હતી. ટીડીઓ, માધવપુર ગ્રામ પંચાયત, ફાયર બ્રિગેડની ટીમ તેમજ પોલીસ તંત્રના કાફલા સાથે ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી હતી.

