Home / India : After Myanmar, earthquake tremors felt in Leh

મ્યાનમાર બાદ ભારતના આ રાજ્યમાં આવ્યો ભૂકંપ, લોકોમાં ઘરની બહાર નીકળ્યા

મ્યાનમાર બાદ ભારતના આ રાજ્યમાં આવ્યો ભૂકંપ, લોકોમાં ઘરની બહાર નીકળ્યા

મ્યાનમારમાં આવેલા શક્તિશાળી ભૂકંપ બાદ લોકોમાં ગભરાટનો માહોલ છે. ત્યારે હવે ભારતમાં પણ ભૂકંપના સમાચાર સતત આવી રહ્યા છે. મંગળવારે સાંજે 5:38 વાગ્યે લદ્દાખના લેહમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.2 માપવામાં આવી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ આ ભૂકંપ વિશે અપડેટ આપી છે. ભૂકંપના લીધે લોકો પોતાના ઘરોમાંથી બહાર નીકળી આવ્યા હતા. જોકે, આમાં કોઈ જાનહાનિ થઈ છે કે કેમ તે અંગે હજુ સુધી કોઈ માહિતી મળી નથી.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

અરુણાચલ પ્રદેશમાં ભૂકંપ

જણાવી દઈએ કે 24 કલાક પહેલા અર્થાત સોમવારે અરુણાચલ પ્રદેશમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. બપોરે 2:38 વાગ્યે 3.5 રિક્ટર સ્કેલના આંચકા લોકોએ અનુભવ્યા. આ ભૂકંપમાં બહુ નુકસાન થયું નથી, પરંતુ મ્યાનમારમાં આવેલા ભૂકંપથી થયેલી તબાહી બાદ સમગ્ર વિશ્વમાં લોકો ભૂકંપના ભયથી ભરાઈ ગયા છે. ભૂકંપનું કેન્દ્ર અરુણાચલ પ્રદેશમાં શી યોમી હતું, જે પૃથ્વીની સપાટીથી 10 કિલોમીટર નીચે હતું. ભૂકંપનું કેન્દ્રબિંદુ ભારત અને ચીનની સરહદની ખૂબ નજીક હતું. તેની તીવ્રતા ખૂબ ઓછી હોવાને કારણે ખૂબ ઓછું નુકસાન થયું છે.

ભૂકંપ શા માટે આવે છે?

તાજેતરના સમયમાં, દેશ અને વિશ્વના ઘણા ભાગોમાં ભૂકંપની ઘટનાઓમાં વધારો જોવા મળ્યો છે. આપણી પૃથ્વીની અંદર 7 ટેક્ટોનિક પ્લેટો છે. આ પ્લેટો સતત પોતાની જગ્યાએ ફરતી રહે છે. જોકે ક્યારેક અથડામણ કે ઘર્ષણ થાય છે. આ કારણોસર પૃથ્વી પર ભૂકંપની ઘટનાઓ જોવા મળે છે. આના કારણે સામાન્ય લોકોને સૌથી વધુ તકલીફ પડે છે. ભૂકંપના કારણે ઘરો ધરાશાયી થાય છે, અને હજારો લોકો કાટમાળ નીચે દબાઈને મૃત્યુ પામે છે. 

TOPICS: earthquakes Leh
Related News

Icon