મનોજ કુમાર પંચતત્વમાં વિલીન થઈ ગયા છે. તેમના પુત્ર કુણાલ ગોસ્વામીએ મુખાગ્નિ આપી હતી. તેમને રાજકીય સન્માનના પ્રતીક તરીકે 21 તોપોની સલામી પણ આપવામાં આવી હતી. મનોજના અંતિમ સંસ્કાર વિલે પાર્લેના પવન હંસ સ્મશાનગૃહમાં કરવામાં આવ્યા હતા. અમિતાભ બચ્ચન, સલીમ ખાન, અનુ મલિક, પ્રેમ ચોપરા સહિત ઘણા બોલિવૂડ સેલેબ્સે મનોજ કુમારના અંતિમ દર્શન કર્યા અને શ્રદ્ધાંજલિ આપી હતી.

