Home / Entertainment : Manoj Kumar left behind property worth crores

Manoj Kumar / કરોડોની સંપત્તિ પાછળ છોડી ગયા મનોજ કુમાર, જાણો તેમની નેટવર્થ

Manoj Kumar / કરોડોની સંપત્તિ પાછળ છોડી ગયા મનોજ કુમાર, જાણો તેમની નેટવર્થ

બોલીવૂડના દિગ્ગજ અભિનેતા મનોજ કુમારે આ દુનિયાને અલવિદા કહી દીધું છે. મનોજ કુમારે મુંબઈની કોકિલાબેન ધીરુબાઈ અંબાણી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. મનોજ કુમાર લાંબા સમયથી બીમાર હતા. બીમારીના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મનોજ કુમારના નિધનથી એક યુગનો અંત આવ્યો છે. આખો દેશ શોકમાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને બોલિવૂડ સેલેબ્સ સુધી, દરેક જણ તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. મનોજ કુમારે તેમના ફિલ્મી કરિયરમાં ઘણી શાનદાર ફિલ્મોમાં કામ કર્યું છે અને તેનું નિર્માણ કર્યું છે. ચાલો તમને જણાવીએ કે મનોજ કુમાર કેટલી સંપત્તિ છોડી ગયા છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

મનોજ કુમાર નેટવર્થ

એક રિપોર્ટ અનુસાર, મનોજ કુમારની નેટવર્થ 170 કરોડ રૂપિયા છે. આટલી નેટવર્થ તેમની લાંબી સફળ સિનેમા કારકિર્દીના કરને છે. તેમણે ઇન્ડસ્ટ્રીમાં એક્ટર, ડાયરેક્ટર અને સ્ક્રિપ્ટ રાઈટર તરીકે કામ કર્યું છે. તેમની ફિલ્મો બોક્સ ઓફિસ પર ખૂબ જ સફળ રહી છે. અહેવાલો અનુસાર, ગોસ્વામી ટાવર નામની એક મોટી બિલ્ડીંગ છે જે મનોજ કુમારના નામે છે.

આ ફિલ્મોએ તેમને સ્ટાર બનાવ્યા

મનોજ કુમારની કારકિર્દીની શ્રેષ્ઠ ફિલ્મોમાં 'હરિયાલી ઔર રાસ્તા', 'વો કૌન થી', 'હિમાલય કી ગોદ મેં', 'શહીદ', 'ઉપકાર', 'પૂરબ ઔર પશ્ચિમ', 'રોટી કપડા ઔર મકાન', 'ક્રાંતિ' નો સમાવેશ થાય છે. આ ફિલ્મો દ્વારા મનોજ કુમારે માત્ર લોકોનું મનોરંજન જ નથી કર્યું પણ તેમનામાં દેશભક્તિ પણ જાગૃત કરી હતી.

આટલા એવોર્ડ્સ મળ્યા

મનોજ કુમારને 1992માં પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા. તે પછી તેમને 'ઉપકાર', 'રોટી કપડા ઔર મકાન' માટે ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો. 2015માં તેમને દાદા સાહેબ ફાળકે એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા.

TOPICS: manoj kumar
Related News

Icon