ઇંગ્લેન્ડ પ્રવાસ પહેલા ભારતીય ક્રિકેટ ટીમના બે દિગ્ગજ રોહિત શર્મા અને વિરાટ કોહલીએ ટેસ્ટમાંથી સંન્યાસ લઇ લીધો છે.રોહિત-કોહલી બાદ ફાસ્ટ બોલર મોહમ્મદ શમીના સંન્યાસની અફવાઓ પણ સોશિયલ મીડિયા પર ઉડી હતી. જોકે,આ અફવા પર ક્રિકેટર મોહમ્મદ શમીએ પોતાની પ્રતિક્રિયા આપી છે.

