ગુજરાતમાં સાર્વત્રિક વરસાદી માહોલ છે. ક્યાંક ભારે વરસાદને પગલે નદીઓ બે કાંઠે વહેલા લાગી છે. ધસમસતા પાણીના પ્રવાહમાં ક્યાંક ગાડીઓ પણ તણાઈ છે. ત્યારે ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકાના નશીતપુર ગામે કેરી નદી ગાંડીતુર બની છે. નદીમાં ધસમસતા પાણીના પ્રવાહને પગલે નશીતપુર ગામ સંપર્ક વિહોણું બન્યું છે. ગામમાં પણ નદીના પાણી ઘૂસી ગયા છે.

