Pahalgam news : સુરક્ષાદળોએ જમ્મુ પ્રાંતને આતંકવાદ મૂક્ત બનાવવા માટે મહાભિયાન શરૂ કરી દીધુ છે, જેના ભાગરૂપે કઠુઆ, કિશ્તવાડ, રાજૌરી, પુંચ અને રિયાસીના પર્વતીય વિસ્તારોમાં આતંકીઓની શોધખોળ ઝડપી બનાવાઇ છે. સત્તાવાર રીતે સક્રિય આતંકીઓના આંકડા જાહેર નથી કરાયા પરંતુ આ સંખ્યા 60 આસપાસ હોવાની શક્યતાઓ છે. આ તમામ આતંકીઓ ત્રણથી પાંચની ટોળકી બનાવીને સ્થળ બદલતા રહે છે. આ આતંકીઓની એકાદી ટોળકીમાં પહલગામના હુમલાખોર આતંકીઓ હોવાની પણ શક્યતા છે. જ્યારે નેપાળ સરહદેથી પાકિસ્તાન આતંકીઓ ઘૂસાડવાની ફિરાકમાં હોવાના પણ અહેવાલો મળ્યા છે.

