રાજકોટ જિલ્લાના ધોરાજીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાણે સાવ કથળી હોય તેમ ગમે ત્યારે અસામાજિક તત્વોનો ત્રાસ વધી રહ્યો છે. મારામારી, હત્યાનો પ્રયાસ તેમજ અન્ય ગુનાખોરી વધી રહી છે. રાજ્યના પોલીસ વડાના આદેશ બાદ ગુજરાતના શહેરો અને ગ્રામ્યમાં અસામાજિક તત્વો સામે પોલીસ તંત્રએ લાલ આંખ કરી છે. પરંતુ ધોરાજી શહેરમાં આની કોઈ અસર જણાઈ નથી રહી. ધોરાજીમાં પ્રેમ લગ્ન કર્યા તેની અદાવત રાખી એક યુવક પર ગત મોડીરાત્રે સાત શખ્સો પાઈપથી હિચકારો હુમલો કર્યો હતો.

